આજ રોજ વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અપંગ તેમજ વિકલાંગ લોકો ને ધાબળા વિતરણ કરવામાં આવ્યા
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ એટલે લોક કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ જેઓ અવારનવાર ક્યાંકને ક્યાંક કાર્યક્રમો કરતી હોય છે,આજ રોજ વિશ્વ વિકલાંગ દિવસ નિમિતે દિવ્યાંગ અપંગ લોકો ને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ધાબળા વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં સંસ્થા પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય,મહેન્દ્ર આયલાણી ના નેતૃત્વમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં દાતાશ્રી,ભગવાનજીભાઈ પરમારએ, સહયોગ કર્યો હતો તેમજ મહેન્દ્ર આયલાણી,તરુણભાઈ નડીયાપરા,ધીરુભાઈ અંબાણી કોલેજ તેમજ ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાઇ અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો,




