આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા દાતાશ્રી તરૂણભાઈ નદીયાપરા ના જન્મદિવસ નિમિતે ઝુપ્પડપટ્ટી વિસ્તારના બાળકો ને નાસ્તો કરાવામાં આવ્યો
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન એટલે એક સામાજિક સંસ્થા જે અવારનવાર ગુજરાતની અલગ અલગ જગ્યાએ લોક કલ્યાણ માટે કામ કરી રહી છે અને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ના પ્રમુખ મહેન્દ્ર આયલાણી ના નેતૃત્વ માં કાર્યક્રમ ની લિસ્ટ જોઈ તો ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા,ની શુલ્ક સરબત વિતરણ, છાશ વિતરણ, સમુહ લગન,ઝુપ્પડ પટ્ટી વિસ્તારમાં ભોજન, નાના ભુલકાઓને બટુક ભોજન,સામાજિક મુદ્દાઓ ઉપર રજુવાતો, સહિત ની કામગીરી કરતી આવી છે સંસ્થા પ્રમુખ મહેન્દ્ર આયલાણી ના નેતૃત્વ હેઠળ દાતાશ્રી તરુણભાઈ નડીયાપરા ના જન્મદિવસ નિમિતે આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રાજકોટની ઝુપ્પડપટ્ટી વિસ્તારમાં નાના ભૂલકાઓને નાસ્તો કરાવામાં આવ્યો જેમાં દાતાશ્રીઓ તરુણભાઈ નડીયાપરા,દિનેશભાઈ કોશિયા એ સહયોગ આપ્યો હતો તેમજ ફાઉન્ડેશનના પ્રમુખ મહેન્દ્ર આયલાણી,સુહાગ પટેલ,દર્શન રિબડીયા,પ્રીયાંગ,જયભાઈ લાડવા સહિત ના લોકો એ આ કાર્યક્રમ ની જહેમત ઉઠાવી હતી



