નિલેશભાઈ નળિયાપરાના જન્મદિવસ નિમિત્તે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહમાં ફળ વિતરણ કરાયું
રાજકોટ: સામાજિક ક્ષેત્રે “નમ્રતા જેનું નામ – સેવા જેનું કામ” ના સૂત્રને ચરિતાર્થ કરતા ‘નમ્રતાગ્રીન ફાઉન્ડેશન’ દ્વારા એક સરાહનીય સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાલ મુકુન્દ ટ્રેડર્સના માલિક શ્રી નિલેશભાઈ નળિયાપરાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવાના હેતુથી સંસ્થા દ્વારા ફળ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ નમ્રતાગ્રીન ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ આયલાણી ના નેતૃત્વમાં સફળતાપૂર્વક યોજાયો હતો. રાજકોટ સ્થિત ‘શ્રી વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ’ ખાતે સંસ્થા દ્વારા ત્યાં રહેતી પ્રજ્ઞાચક્ષુ બહેનોને પૌષ્ટિક ફળોનું વિતરણ કરી તેમના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તરુણભાઈ નળિયાપરા અને દર્શનભાઈ રિબળીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉમદા કાર્યમાં સહભાગી બન્યા હતા. પ્રમુખ મહેન્દ્રભાઈ આયલાણી અને ઉપસ્થિત સૌ મિત્રોએ નિલેશભાઈ નળિયાપરાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
કોઈપણ પ્રકારના આડંબર વગર જરૂરિયાતમંદ બહેનોની વચ્ચે જઈને કરવામાં આવેલી આ ઉજવણી સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
વધુ વિગત માટે સંપર્ક:
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન
મોબાઈલ: 82000 12906




